Big Breaking: દાહોદ-સુરેન્દ્ર નગરમાં કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થતાં 9 લોકોના દર્દનાક મોત, વાહનોના લીરેલીરા ઉડી ગયા

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Big Breaking: દાહોદ-સુરેન્દ્ર નગરમાં કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થતાં 9 લોકોના દર્દનાક મોત, lokpatrika
Share this Article

Gujarat Accident News :  ગુજરાતમાં મંગળવારે એક કમનસીબ ઘટનાના સમાચાર સામે આવ્યા છે. દાહોદમાં (dahod) એક માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત થયાનું જાણવા મળ્યું  છે. પ્રાથમિક માહિતી મુજબ, રિક્ષા અને ટ્રક વચ્ચેની અથડામણમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. એક વ્યક્તિને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે.

 

દાહોદના ગરબાડા-અલીરાજપુર હાઈવે પર એક દર્દનાક અને હ્રદય હચમચાવી દેનારો માર્ગ અકસ્માત સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ પાટિયાઝોલ તળાવ પાસે રિક્ષા અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ દર્દનાક અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા. આ દરમિયાન અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતા જ ગરબાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

2000ની નોટની ડેડલાઈન પુરી, તમારી પાસે હજુ પણ હોય તો ચિંતા ન કરતાં, અમદાવાદમાં આ જગ્યાએ બદલી જશે

આ રાજ્યોમાં આગામી 3 દિવસ ભારે વરસાદ ખાબકશે, IMDએ જાહેર કર્યું એલર્ટ, વાદળો કાળા ડિંબાગ થઈ ગયાં!

આ 3 રાશિઓના ઘરે દસ્તક આપવા આવી રહી છે માતા લક્ષ્મી, 29 નવેમ્બર સુધી થશે બેહિસાબ ધનનો વરસાદ

 

સુરેન્દ્રનગર અકસ્માતમાં 3ના મોત

સુરેન્દ્રનગર-લખતર હાઇવે પર અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. જાણકારી અનુસાર જમાર ગામ પાસે એક ટ્રક કાર સાથે ટકરાઇ હતી, જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જયારે બીજા બે વ્યક્તિને ગંભીર ઇજા પોહ્ચતા હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

 

 


Share this Article