Terror Alert On Republic Day: ગણતંત્ર દિવસના અવસર પર દેશની રાજધાની દિલ્હી સહિત અનેક મોટા શહેરો પર આતંકવાદીઓની નજર છે. ગુપ્તચર એજન્સીઓને બાતમી મળી છે કે આતંકવાદીઓ અયોધ્યામાં રામ મંદિરને નિશાન બનાવી શકે છે. એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર આત્મઘાતી બોમ્બર દ્વારા રામ મંદિર પર હુમલો કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
જો આ 100 ભારતીય અબજોપતિ ધારે તો 18 મહિના સુધી આખા દેશનો ખર્ચો ઉઠાવી શકે છે, તમારી સામે આ રહ્યો હિસાબ
આશિષ ભાટિયા બાદ હવે ગુજરાતના નવા DGP કોણ હશે? આ 5 અધિકારીઓના નામ સૌથી પહેલાં ચર્ચામાં
30 વર્ષ પછી ફરીથી શનિની ઘર વાપસી, આ 7 રાશિના લોકો બનશે માલામાલ, જાણો તમારી કિસ્મત શું કહે છે
વાસ્તવમાં એજન્સીઓને ઈનપુટ મળ્યા છે કે આગામી કેટલાક દિવસોમાં પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો રામ મંદિર પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠને આ હુમલાનું કાવતરું ઘડ્યું છે. નેપાળ મારફતે ભારત આત્મઘાતી ટુકડી મોકલીને હુમલાનો પ્લાન ઘડવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, રામ મંદિર નિર્માણનું 50 ટકાથી વધુ કામ થઈ ગયું છે. અહીં સુરક્ષા પહેલેથી જ ચુસ્ત છે, જ્યારે હવે આ એલર્ટ બાદ ઉત્તર પ્રદેશ પોલીસ પહેલા કરતા વધુ સતર્ક થઈ ગઈ છે.
જો પ્લાન નિષ્ફળ જાય તો…
ગુપ્તચર એજન્સીઓને માહિતી મળી છે કે પ્રજાસત્તાક દિવસના અવસર પર આતંકવાદીઓ દિલ્હીથી પંજાબ અને દેશના અન્ય ઘણા શહેરોમાં મોટા હુમલા કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. પાકિસ્તાનની ISI ઈસ્લામિક સ્ટેટ અલ કાયદાએ પણ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈરબાહિમના ઓપરેટિવ્સની મદદ લીધી છે. એવું કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાન ISI 26 જાન્યુઆરીના રોજ દિલ્હી અને પંજાબમાં IED બ્લાસ્ટ કરવા માટે તેના સ્લીપર સેલ અને ગેરકાયદે રોહિંગ્યાઓનો ઉપયોગ કરી શકે છે. એવા પણ સમાચાર છે કે જો 26 જાન્યુઆરીએ આતંકવાદી યોજના નિષ્ફળ જશે તો G20 સમિટને નિશાન બનાવવામાં આવશે.