હાલમાં કિરણ પટેલની ખુબ ચર્ચા કરવામાં આવી રહી છે. મહાઠગ કિરણ પટેલ સામે જવાહર ચાવડાનાં ભાઇ જગદીશ ચાવડાએ એક ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમમે ઘણાં જ ઘટસ્ફોટ કર્યા છે. તેમણે એવું પણ જણાવ્યું છે કે, ‘કિરણ પટેલની પાછળ કોનો હાથ છે તે પણ થોડા દિવસમાં જણાવી દેશે. એમણે કહ્યું કે-થોડા દિવસમાં કિરણ પટેલ પાછળ કોનો હાથ છે તે હું પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કરી દઇશ. કિરણ પટેલ જ્યારે કાશ્મીરમાં પકડાયો ત્યારે તે પાછળ આ આખી લોબી ત્યાં પહોંચી ગઈ હતી. બીજેપીના કોઇ મોટાનો સપોર્ટ છે એવું પણ કહેવામાં આવ્યું છે.
આ સિવાય જગદીશ ચાવડાએ જણાવ્યુ હતુ કે, ‘કિરણ પટેલ ઇન્ટિરિયર ડિઝાઇનર બનીને મારી પાસે પણ આવ્યો હતો. મેં એને કહ્યુ હતુ કે, અમે 15 વર્ષથી અહીં રહીએ છીએ મારે રિનોવેશન કરાવવાનું છે. તેણે કહ્યું કે, રિનોવેશનનું કામ કરી આપીશ અને નાનું મોટું ઇન્ટિરિયરનું કામ પણ જો હશે તો કરી આપીશું. જે પ્રમાણે મેં તેને 90 દિવસની મુદતે કામ આપ્યું હતું. આ 90 દિવસ પહેલા કિરણ પટેલે આ બંગલામાં ફોટગ્રાફી અને વીડિયોગ્રાફી કરીને અહીં વાસ્તુ કરી દીધું હતુ. તે આ દ્વારા પુરવાર કરવા માંગતો હતો કે, તે આ બંગલામાં રહે છે. જેથી કોઈને શંકા ના જાય.
આ અંગે જગદીશ ચાવડાએ ફરિયાદ નોંધાવી હતી. જો ત્યારે આ અંગે ફરિયાદ થઇ હોત તો તેણે અન્ય લોકો સાથે ઠગાઇ કરી છે તે ન કરી શક્યો હોત. તેણે બહારથી ખબર પડી હશે કે, આમને રિનોવેશન કરવવાનું છે અને પછીથી બંગલો વેચી પણ નાખવાનો છે. એ મારી ઓફિસે આવ્યો હતો અને આ બધી વાત કરી હતી. ત્યારે તે મને વ્યવસ્થિત લાગ્યો હતો. જેથી તેને મેં આ કામ આપ્યું હતુ.
સતત બીજા દિવસે પણ સોનાનો ભાવ ગગડ્યો, જોરદાર ઘટાડા સાથે હવે ખાલી આટલા હજારમાં જ એક તોલુ મળશે
આગળ તેમણે વાત કરી કે, આ કામ માટે મેં તેને 35-40 લાખ આપ્યા હતા અને અમુક પેમેન્ટ મેં એજન્સીને ડાયરેક્ટ કર્યા હતા. મારા બંગલામાં હવન પૂજા કરાવી બહાર પોતાના નામનું બોર્ડ પણ લગાવી દીધું હતુ. જેના આધારે ફરિયાદી વિરુદ્ધ કોર્ટમાં ખોટો દીવાની દાવો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે જગદીશ ચાવડાએ આ અંગેની ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં નોંધાવી છે.