ગરમીના પ્રકોપ વચ્ચે અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરીને બધાને ફફડાવી દીધા, જાણો ક્યારે અને કેટલો ખાબકશે

Lok Patrika Desk
Lok Patrika Desk
4 Min Read
ambalal
Share this Article

રાજ્યમાં હાલ જાણે અગન ગોળા વરસી રહ્યા હોય તેમ તાપમાન વધી રહ્યું છે. રવિવારે રાજ્યના 11 શહેરોમાં તાપમાન 41 ડિગ્રીથી વધારે નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજથી રાજ્યમાં તાપમાનમાં ચાર ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. જ્યારે આજે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ રહેશે અને પછીના બે દિવસ યલો એલર્ટ રહેવાનું છે. બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન કરતા જણાવ્યુ છે કે, 15થી 16 મેના રોજ ગરમીમાં આંશિક ઘટાડો થવાની શક્યતા છે. આંધી વંટોળનું પ્રમાણ વધશે. તેમજ કૃતિકા નક્ષત્ર સમુદ્રમાં હલચલ કરાવે છે. તેના કારણે પવનની ગતિ વધે છે અને બાષ્પીભવન પ્રકિયા વધવાની છે.

આ કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાહત થાય તેવી આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, કાળઝાળ ગરમી પડી રહી છે અને હજુ પણ ગરમી પડવાની છે. 15થી 16 મેના રોજ ગરમીમાં આંશિક ઘટાડો થવાની સંભાવના છે. આંધી વંટોળનું પ્રમાણ વધશે આ સાથે કૃતિકા નક્ષત્ર સમુદ્રમાં હલચલ કરાવે છે. તેના કારણે પવનની ગતિ વધે છે અને બાષ્પીભવન પ્રકિયા વધશે. અરબ દેશોમાંથી પાકિસ્તાનની ઉપર થઇ ઘૂળ ગુજરાત તરફ આવશે અને ઘૂળનું પ્રમાણ વધશે.

ambalal


Share this Article
Leave a comment