Google News

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara

E-Paper

  • હોમ
  • મારું ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • મનોરંજન
  • વ્યાપાર
  • ક્રિકેટ
  • રાજકારણ
  • રાશિ ભવિષ્ય
  • અજબ ગજબ
  • વાયરલ
  • lok patrika special
  • Loksabha Election 2024
  • ટેક્નોલોજી
  • E – Paper
  • હોમ
  • મારું ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • મનોરંજન
  • વ્યાપાર
  • ક્રિકેટ
  • રાજકારણ
  • રાશિ ભવિષ્ય
  • અજબ ગજબ
  • વાયરલ
  • lok patrika special
  • Loksabha Election 2024
  • ટેક્નોલોજી
  • E – Paper

LPG સંકટ વચ્ચે મળશે રાહત

અમેરિકા અને ઈરાન વચ્ચે ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા જંગના કારણે દુનિયાભરમાં તેલના પુરવઠા પર મોટી અસર પડી છે, ત્યારે ભારત માટે એક આશાસ્પદ સમાચાર સામે આવ્યા છે. સાઉદી અરેબિયાથી ૧,૩૫,૩૩૫ મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ લઈને નીકળેલું લાઈબેરિયન જહાજ ‘શેનલોંગ‘ સુરક્ષિત રીતે મુંબઈ બંદરે પહોંચી ગયું છે.

૨ અઠવાડિયાથી ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વના ગણાતા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ‘ને પસાર કરીને ભારત પહોંચનારું આ પ્રથમ ઓઇલ ટેન્કર છે. આ જહાજ મુંબઈના જવાહર દ્વીપ પર લાંગરવામાં આવ્યું છે અને ત્યાંથી તેલ ખાલી કરીને મુંબઈની રિફાઇનરીઓમાં મોકલવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

ભારતની ઊર્જા સુરક્ષા જળવાઈ રહેશે

આ જહાજની મુસાફરી જોખમોથી ભરેલી હતી. હુમલાખોરોની નજરથી બચવા માટે ભારતીય કેપ્ટન સુક્ષાંત સિંહ સંધુ અને ૨૯ ક્રૂ મેમ્બરોએ યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી પસાર થતી વખતે જહાજની ટ્રેકિંગ સિસ્ટમ બંધ કરી દીધી હતી. આ જહાજના આગમનથી દેશમાં તેલની અછત અને ખાસ કરીને એલપીજી સિલિન્ડરના પુરવઠામાં જે મુશ્કેલી પડી રહી હતી, તેમાં મોટી રાહત મળવાની આશા છે.

આ કાચા તેલને માહુલ વિસ્તારની રિફાઇનરીમાં પ્રોસેસ કરીને પેટ્રોલ, ડીઝલ અને ગેસ બનાવવામાં આવશે, જેનાથી ભારતની ઊર્જા સુરક્ષા જળવાઈ રહેશે.જોકે, એક તરફ આ સફળતા મળી છે, તો બીજી તરફ હજુ પણ ભારતના ૨૮ જેટલા જહાજો તે જોખમી વિસ્તારમાં ફસાયેલા છે. આ દરમિયાન એક ચિંતાજનક ઘટના પણ બની છે, જેમાં યુનાઇટેડ આરબ એમિરેટ્સથી ગુજરાતના કંડલા બંદર તરફ આવી રહેલા થાઈલેન્ડના જહાજ ‘મયુરી નારી‘ પર હુમલો થયો હતો.

ભારત સરકારના વિદેશ મંત્રાલયે આ હુમલાની સખત નિંદા કરી છે અને જણાવ્યું છે કે વ્યાપારી જહાજોને નિશાન બનાવવા તે ગંભીર બાબત છે. પશ્ચિમ એશિયામાં વધી રહેલી આ હિંસા વચ્ચે ભારત અત્યારે પોતાના અન્ય જહાજોની સુરક્ષા પર ચાંપતી નજર રાખી રહ્યું છે.

Author

D-Admin

Follow Me
Other Articles
Previous

અમેરિકામાં બનશે નવી ઓયલ રિફાઇનરી

Next

સેન્સેક્સ ૧૪૭૦ પોઈન્ટ તો નિફ્ટીમાં ૪૮૮ પોઈન્ટનો ઘટાડો

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe our Daily Newsletter

Follow Us

Facebook X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Cricket News
  • Sports News
  • Career News
  • Bollywood News
  • Health News
  • Business News
  • Rashifal
  • National News
  • World News
  • Ahmedabad News
  • Surat News
  • Rajkot News
  • Vadodara News
  • Mehsana News
  • Valsad News
  • Bhavnagar News
  • Kutch News
  • Mahisagar News
  • Popular News
  • Must Read
  • Breaking News
  • Jokes
  • Advertise with us
  • About us
  • Careers
  • Privacy
  • Contact us
  • Sitemap
  • Code of Ethics
  • Apps
  • RSS
  • Ad Rates
  • work with us
  • about us
  • Contact us
  • privacy
  • Disclaimer
  • Site Information
  • archive

Copyright © 2023 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper