નિતેશ તિવારીની ‘રામાયણ’ આજકાલ પોતાની કાસ્ટિંગને લઈને લોકોમાં જબરદસ્ત ચર્ચામાં છે. રામનો રોલ રણબીર કપૂર કરશે અને સાઇ પલ્લવી સીતાનું પાત્ર ભજવશે. આ સાથે જ આ રોલ કરવા જઈ રહેલા લક્ષ્મણ અને હનુમાનના પાત્રને લઈને પણ થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે. તાજેતરમાં જ રવિ દુબેએ ખુલાસો કર્યો હતો કે તે ‘લક્ષ્મણ’નું પાત્ર ભજવવાનો છે. આ દરમિયાન હવે ફેન્સ માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. જી હા, સની દેઓલ પણ ‘રામાયણ’નો ભાગ બનવાનો છે. આ વાતનો ખુલાસો થયો છે. ‘ગદર’ ફેમ સની દેઓલે પોતે આ વાતનો ખુલાસો કર્યો છે.
રામાયણમાં હશે સની દેઓલ
રણબીર કપૂરે હાલમાં જ જણાવ્યું હતું કે નિતેશ તિવારીની ‘રામાયણ’ના બે ભાગ આવશે. આ પછી બોલિવૂડ અભિનેતા સની દેઓલ, જેમના વિશે અફવા હતી કે તેઓ ફિલ્મમાં હનુમાન હશે. તેમણે ફિલ્મમાં પોતાની ભૂમિકા અંગે પહેલીવાર મૌન તોડયું છે. ઇન્ડિયન એક્સપ્રેસના લાઇવ સ્ક્રીનને આપેલા ઇન્ટરવ્યુમાં, સનીએ ફિલ્મનો ભાગ બનવા અને શૂટિંગ અંગે અપડેટ આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘રામાયણ પણ હોલીવુડ ફિલ્મ અવતાર અને પ્લેનેટ ઓફ ધ એપ્સ જેવી એક બિગ બજેટ ફિલ્મ છે. લેખક અને નિર્દેશક આ વાતને લઈને સ્પષ્ટ છે કે કોને કયા પ્રકારનો રોલ આપવો જોઈએ. મને આ વાતની ખુશી છે કે હું તેનો ભાગ છું.’ વહીં તેમણે કન્ફર્મ કરી દીધું છે કે તે ફિલ્મનો ભાગ હશે, પરંતુ આ વાતની પુષ્ટિ નથી કરી કે તે ભગવાન હનુમાનનો કિરદાર ભજવશે કે નહીં.
અંકલેશ્વર હાઈવે પર બે બસ વચ્ચે અકસ્માત, 15 થી વધુ ઘાયલ, ટ્રકે ટક્કર મારતા મહિલાનું મોત
નાસ્ત્રેદમસે વર્ષ 2025 માટે કરી પાંચ ભવિષ્યવાણી, જાણો નવા વર્ષમાં શું થવાનું છે.
રણબીર કપૂરે આપી ખાસ અપડેટ
રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં રણબીર કપૂરે નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ના પહેલા ભાગનું શૂટિંગ પૂર્ણ થવાના સમાચારને ફગાવતા કહ્યું હતું કે, “તેના બે ભાગ છે. મેં ભાગ ૧ નું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે અને ટૂંક સમયમાં જ ભાગ ૨ નું શૂટિંગ કરીશ. આ વાર્તાનો ભાગ બનવા અને રામની ભૂમિકા ભજવવા બદલ હું નિર્માતાઓનો ખૂબ આભારી છું. તે મારા માટે એક સ્વપ્ન સમાન છે. ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ હજુ ફાઇનલ નથી થઈ, પરંતુ મેકર્સે જાહેરાત કરી છે કે પહેલો પાર્ટ 2026માં અને બીજો ભાગ 2027માં દિવાળીના અવસર પર થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે.