આવતીકાલે અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા રંગેચંગે નીકળશે. આ રૂપના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટવાનું છે. ત્યારે અમદાવાદના ઐતિહાસિક વિસ્તાર ખાડિયામાં બેન્કર એન્ડ બેકર્સ પરિવાર તરફથી ખુબ મોટું સેવાભાવી કામ કરવામાં આવ્યું છે.
બેન્કર એન્ડ બેકર્સ પરિવાર તરફથી આ વર્ષે નગરભોજનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 10,000 કરતાં પણ વધારે પેસ્ટ્રીસ બનાવવામાં આવી છે અને આવતી કાલે ભક્તોમાં વિતરણ કરવામાં આવશે. બેન્કર એન્ડ બેકર્સ 20 વર્ષથી ચાલતી જૂની કંપની છે અને નૈતિક બેન્કર ચલાવી રહ્યાં છે.
આ પણ વાંચો
અહીં 1 લીટર પેટ્રોલ માત્ર 1.5 રૂપિયામાં મળે છે, પરંતુ આ દેશમાં છે સૌથી મોંઘુ, જાણો દરેક દેશના ભાવ
અભૂતપુર્વ સફળતા અને વિશ્વષનીયતા ધરાવનાર બેન્કર એન્ડ બેકર્સ પરિવાર તરફથી અમદાવાદમાં પહેલી વખત આવું આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાનાર ભક્તોમાં પણ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.