સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ ,કલોલ સંચાલિત સ્વામિનારાયણ યુનિવર્સિટી, ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી અને સાઇબર ઓક્ટેડ પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા હતા. આ એમઓયુના ભાગરૂપે સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં એડવાન્સ ટેકનોલોજી સંદર્ભે વિવિધ પ્રકારના ટેકનીકલ પ્રોગ્રામને વૈશ્વિક માંગ મુજબ તૈયાર કરી અને વિદ્યાર્થીઓને રોજગારીની સારી તકો મળે એ હેતુથીઆ પ્રકારે વિશેષ બેઠક ગોઠવવામાં આવી હતી.
તાજેતરમાં થયેલ એમઓયુ પ્રમાણે સ્વામિનારાયણ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો.(પ્રો) એમ. એસ. રાવ સાહેબે જણાવ્યું હતું કે હાલના સમયમાં સાઇબર ક્રાઇમ સાઇબર સિક્યુરિટી ,ડેટા સાયન્સ, ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન જેવા વિષયોની ખૂબ જ માંગ રહેલ છે.એ જોતા સ્વામિનારાયણ યુનિવર્સિટી દ્વારા સાઇબર ઓક્ટેડ પ્રાઇવેટ લિમિટેડ જેવી નામાંકિત મલ્ટી નેશનલ કંપની સાથે કરાર કરી અને નજીકના સમયમાં આ પ્રકારના અગત્ય નો કોર્સિસ ચાલુ કરી અને એક એડવાન્સ લેબોરેટરી સેન્ટર ઓફ એક્સના ભાગરૂપે બનાવવામાં આવશે.
આ પ્રસંગે અતિ હર્ષ સાથે સ્વામિનારાયણ યુનિવર્સિટી ખાતે સંતોએ સૌને અભિનંદન સાથે આશીર્વાદ પાઠવ્યા હતા અને આ જ પ્રકારે જણાવ્યું હતું કે તાજેતરમાં માનનીય મંત્રી ઋષિકેશ ભાઈ પટેલ, ગુજરાત રાજ્ય દ્વારા સ્વામિનારાયણ યુનિવર્સિટીને આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે મહત્વના યોગદાન બદલ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.આ બાબત યાદ અપાવતા સંતોએ જણાવ્યું હતું કે આ જ પ્રકારે અથાર્ગ પરિશ્રમ થકી આપણે સ્વામિનારાયણ યુનિવર્સિટીને માત્ર જિલ્લામાં નહીં પરંતુ વૈશ્વિક લેવલે નામના પ્રાપ્ત થાય એવા પ્રયત્નો કરવાના છે.
વધુમાં સ્વામિનારાયણ યુનિવર્સિટી,એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી વિભાગ ના ડીન,ડો.વિજય ગઢવી, ગીતાંજલી અમરાવત મેડમઅને ડો. ગુંજન શાહ સાહેબ(રજીસ્ટ્રાર) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ શૈક્ષણિક સત્ર થી ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ સંદર્ભે હાલના સમયમાં ખૂબ જ માંગ હોય એવા ટૂંકા ગાળાના કોર્સ યુનિવર્સિટી ખાતે શરૂ કરવામાં આવશે. જેથી ઉદ્યોગોની માંગ પ્રમાણે વિદ્યાર્થીઓ આપણે આપી શકીશું.