હવામાન વિભાગની કડકડતી આગાહી, આગામી 48 કલાક રહેશે વાદળછાયું વાતાવરણ, જાણો વરસાદના એંધાણ!

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Weather News: રાજ્યમાં ફરી એકવાર ઠંડીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ રાજ્યમાં ઠંડીને લઈ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સુક્કું રહેશે, આગામી 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે તો 3 દિવસ બાદ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડશે.

હવે ગુજરાતમાં ઠંડીનો દબદબો જામશે

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ આગાહી કરી છે કે, આગામી 3 દિવસ બાદ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડશે. સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.4 ડિગ્રી આસપાસ રહશે. આ સાથે તેમણે કહ્યું કે, હાલ રાજ્યમાં મહત્તમ તાપમાન પણ ઘટી રહ્યું છે. રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સુક્કું રહશે, આગામી 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે.

GETCO દ્વારા ભરતી પ્રક્રિયા રદ કરવાના નિર્ણય સામે યુવરાજસિંહની એન્ટ્રી, ઓફિસ બહાર ઉમેદવારો સાથે ઉતર્યા આંદોલન કરવા

‘રામ મંદિર નહીં બને ત્યાં સુધી હું લગ્ન નહીં કરું’, 31 વર્ષ પહેલાં લીધા હતા શપથ, હવે અયોધ્યાથી ફોન આવ્યો

બ્રશ કરતી વખતે ઉલટી થવી એ ગંભીર રોગની નિશાની, તમારા આ અંગને થઈ શકે નુકસાન

મહત્વનું છે કે, અમદાવાદમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું છે. પૂર્વ ઉત્તર પૂર્વ પવનો હોવાથી વાદળછાયું વાતાવરણ રહેશે. તો 3 દિવસ બાદ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડશે.


Share this Article