વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૮ એપ્રિલથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવશે. છેલ્લા બે મહિનામાં આ તેમની બીજી ગુજરાત મુલાકાત હશે. રાજ્યમાં ડિસેમ્બરમાં ચૂંટણી થવાની છે અને ભાજપ ૧૯૯૫થી તેઓ જે રાજ્યમાં શાસન કરે છે ત્યાં બીજી ટર્મ મેળવવાની તૈયારીમાં છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, ત્યારે ભાજપે વધુ મત મેળવવા રણનીતિ બનાવવાનું શરુ કરી દીધુ છે અને વડાપ્રધાન મોદી, અમિત શાહ, રાષ્ટ્રપતિના ગુજરાત પ્રવાસ પણ વધી ગયા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર વડાપ્રધાન મોદી ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ આગામી અઠવાડિયે ગુજરાત આવસે અને બે દિવસ રોકાશે. વડાપ્રધાનની મુલાકાતને લઈને તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૮ એપ્રિલે સાંજે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે. તે દિવસે સાંજે જ ગાંધીનગરમાં કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરની મુલાકાત લેશે.
ગાંધીનગર રાજભવનમાં જ રાત્રિ રોકાણ કરશે અને બીજા દિવસે ૧૯ એપ્રિલે સવારે પીએમ મોદી બનાસકાંઠા જશે. વડાપ્રધાન મોદી બનાસકાંઠાના દિયોદરમાં બનાસ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કરશે.
બનાસકાંઠામાં પશુપાલક મહિલાઓના સંમલેનને પીએમ મોદી સંબોધન કરશે. ૧૯ એપ્રિલે બનાસકાંઠા બાદ જામનગર પહોંચશે.
જ્યાં સહયોગથી બનનાર આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન કરશે. આ પ્રસંગે ઉૐર્ંના ડિજી સહિત અધિકારીઓ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી, આયુષ મંત્રી પણ હાજર રહેશે. ૧૯ એપ્રિલે રાત્રે પીએમ મોદી ગાંધીનગર પરત ફરી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. ૨૦ એપ્રિલે સવારે મહાત્મા મંદિરમાં હાજરી આપ્યા બાદ આયુષ મંત્રાલયની ૨ દિવસીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે અને બપોર બાદ દાહોદમાં આદિવાસી સંમેલનને સંબોધન કરશે. જ્યાંથી અમદાવાદ પરત ફરી રાત્રે દિલ્હી જવા રવાના થશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.