જો તમારે મરવું હોય જાવ ડીએમ પાસે જઈને મરી જાવ, ભાજપ નેતાના વિવાદાસ્પદ નિવેદન બાદ ગરમાયુ રાજકારણ, જાણો શુ છે આખો મામલો

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

પોતાના નિવેદનો અને વલણને કારણે ચર્ચામાં રહેનાર બીજેપી સાંસદ સાક્ષી મહારાજ ફરી એકવાર સમાચારમાં છે. પુત્રી માટે ન્યાય માંગી રહેલા પરિવારે જ્યારે સાંસદના દરવાજે મરવાનું કહ્યું ત્યારે સાક્ષી મહારાજે કહ્યું કે અહીં મરશો નહીં, મરવું હોય તો ડીએમના ઘરે જઈને મરી જાવ. પીડિતાના પિતાનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. ઓડિયો ક્યારેનો છે તે સ્પષ્ટ નથી. સાંસદે ઓડિયોમાં છેડછાડની વાત કરી છે. આ વિશે વિગતે કરીએ તો 10 ફેબ્રુઆરી, 2022ના રોજ પોલીસ દ્વારા પૂર્વ એસપી મંત્રી ફતેહ બહાદુર સિંહના આશ્રમની સેપ્ટિક ટાંકીમાંથી લાશ મળી આવી હતી.

કોતવાલી મંત્રીના પુત્રો વિરુદ્ધ છે આ કેસ

આ કેસમા સદર કોતવાલીમાં મંત્રીના પુત્રો રાજોલ સિંહ અને અશોક સિંહ અને આશ્રમના પંડિત વગેરે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપીઓને જેલમાં પણ મોકલી દેવાયા હતા. તે દરમિયાન જિલ્લા પ્રશાસને પીડિત પરિવારને 25 લાખ રૂપિયાનું વળતર, સરકારી નોકરી અને પાકું મકાન આપવાની ખાતરી આપી હતી. લગભગ એક વર્ષ પછી પણ એકપણ માંગણી પુરી થઈ નથી. ન્યાય મેળવવા માટે પીડિતાના પિતાએ ડીએમથી લઈને સદર ધારાસભ્યના નિવાસસ્થાને ઘણી મુલાકાત કરી છે. કોઈ સુનાવણી થઈ નથી.

પરિવારે સાક્ષી મહારાજને ફોન કરીને ન્યાય માંગ્યો

હવે સાંસદ સાક્ષી મહારાજને ફોન કરીને ન્યાય માંગ્યો. પીડિત પરિવારે કહ્યું કે અમને ન્યાય નહીં મળે તો અમે તમારા ઘરે આવીને મરી જઈશું. તેના પર સાંસદ સાક્ષી મહારાજે કહ્યું કે જો તમારે મરવું હોય તો ડીએમના ઘરે જઈને મરી જાવ. ત્યાંથી ખાતરી મળી છે. વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ ઓડિયો ક્યારનો છે તેની પુષ્ટિ થઈ શકી નથી. આ મામલામાં સાંસદ સાક્ષી મહારાજનું કહેવું છે કે ઓડિયો એડીટ કરીને વાયરલ કરવામાં આવ્યો છે. અત્યારે શું થઈ રહ્યું છે તેના સંદર્ભમાં કંઈ કહેવા માગતો નથી. માણસ આવી વાત કરે તો છોડો, આપણે શું કરી શકીએ?

એપલ વોચે બચાવી લીધો મહિલાનો જીવ, હ્રદય પણ બંધ થઈ ગયુ હતુ, ડૉક્ટરો પણ દંગ રહી ગયા!

18 જાન્યુઆરીથી બુધ આ ત્રણ રાશિઓ પર વિશેષ કૃપા વરસાવશે, વર્ષોથી અટકેલા કામો થઈ જશે પૂરા, જાણો તમારી રાશિ વિશે

આ વસ્તુને ઘરમાં રાખવાથી તમારું ભાગ્ય ચમકી જશે, રૂપિયાનો વરસાદ થશે, માતા લક્ષ્મીની રહેશે કાયમ કૃપા

ડીએમ અપૂર્વ દુબેએ ખોટો રિપોર્ટ મોકલ્યો છે. SCST એક્ટ હેઠળ 8.24 લાખ રૂપિયા મળ્યા હતા. ત્યારબાદ છોકરાને 25 લાખ રૂપિયા, ઘર અને નોકરી આપવાની ખાતરી આપવામાં આવી હતી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે પૈસા મળી ગયા છે. ત્યાં પહેલેથી જ કાયમી રહેઠાણ છે. છોકરાને તેની યોગ્યતાના આધારે નોકરી મળશે. સાંસદને અપીલ કરી હતી. તેણે આવું ન કહેવું જોઈતું હતું. હવે 25 જાન્યુઆરીએ ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠકને ઘરે જીવ આપી દેવાની ચેતવણી આપવામાં આવી છે.


Share this Article
TAGGED: ,