World News: ઈરાન બાદ હવે ઈરાકના સૈન્ય મથકો પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલા બાદ શનિવારે ઈઝરાયેલનું નિવેદન આવ્યું કે આ હુમલામાં અમારી કોઈ સંડોવણી નથી, પરંતુ દરેકની શંકા ઈઝરાયેલ પર જ છે.
સ્પુટનિકના અહેવાલ મુજબ યુએસની આગેવાની હેઠળના ગઠબંધને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘ગઠબંધન દળોએ ઈરાકમાં કોઈપણ સ્થાન પર હુમલો કર્યો નથી કે તેમાં ભાગ લીધો નથી. અમે આ ઘટના પર નજર રાખી રહ્યા છીએ અને અમારા ઈરાકી સહયોગીઓને સમર્થન આપવા તૈયાર છીએ. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ડઝનેક અમેરિકન અને ઇઝરાયલી વિમાનો ઈરાકની આસપાસ ઉડાન ભરી રહ્યા છે.
ઈઝરાયેલે શુક્રવારે (19 એપ્રિલ) ઈરાન પર હુમલો કર્યો. તેનો હુમલો ઈરાનના ડ્રોન-મિસાઈલ હુમલાના જવાબમાં આવ્યો છે, જે થોડા દિવસો પહેલા કરવામાં આવ્યો હતો. આ જ કારણ છે કે હવે ઈરાકમાં સૈન્ય મથક પર થયેલા હુમલામાં ઈઝરાયેલનો હાથ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ઈરાક ઈરાનની ખૂબ નજીક છે. તેના ઉપર, પીએમએફના ઈરાની આર્મી સાથે પણ ગાઢ સંબંધો છે, જે દર્શાવે છે કે ઈઝરાયેલે સંદેશ મોકલવા માટે આ હુમલો કર્યો હોઈ શકે છે. જો ઈરાક દ્વારા ઈઝરાયેલ પર હુમલો કરવામાં આવ્યો તો ઈઝરાયેલનો ગેમ પ્લાન પણ એવો હોઈ શકે કે ઈરાક અને ઈરાન બંને જગ્યાએ હુમલો કરે તો બધાને આપણી તાકાતનો ખ્યાલ આવી જાય કે આપણે ઈઝરાયેલ સાથે યુદ્ધ નથી લડવું. આ જ કારણ છે કે, ઈઝરાયેલ કોઈના પર હુમલો કરવાથી ડરતું નથી.
પોપ્યુલર મોબિલાઈઝેશન યુનિટ્સ (PMU) ની શરૂઆત 2014માં મિલિશિયાના અલગ જૂથો તરીકે થઈ હતી, જેમાંથી મોટાભાગના ઈરાનની નજીક હતા. બાદમાં ઈરાકી લશ્કરી અધિકારીઓએ તેમને ઔપચારિક રીતે સુરક્ષા દળ તરીકે માન્યતા આપી. PMF એ ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટ સામે લડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
પીએમએફમાં સમાવિષ્ટ જૂથોએ કેટલાક મહિનાઓ સુધી ઇરાકમાં યુએસ દળો પર રોકેટ અને ડ્રોન હુમલા પણ કર્યા હતા, પરંતુ ફેબ્રુઆરીથી આ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જૂથમાં 1 લાખથી વધુ લડવૈયાઓ છે. ઇરાકમાં ISISની હાર બાદ, મિલિશિયા ઇરાકી ગૃહ મંત્રાલય સાથે જોડાયેલી એક દળ બની.
આ નવી સેનાએ સીરિયામાં વધુ સ્વતંત્ર રીતે કામ કરવાનું શરૂ કર્યું, મિસાઇલો અને ડ્રોનનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું. 2020માં ઈરાની કમાન્ડર કાસિમ સુલેમાની બગદાદની મુલાકાત દરમિયાન યુએસ હુમલામાં માર્યા ગયા હતા. એવું માનવામાં આવે છે કે પીએમએફના જાણકારે તેમની મુસાફરી વિશે માહિતી આપી હતી.
સત્તા પર આવ્યા પછીથી PM મોદીએ 10 વર્ષમાં કેટલી રજા લીધી અને કેટલા કલાક કામ કર્યું? જાણી લો જવાબ
ઈરાકની ‘પોપ્યુલર મોબિલાઈઝેશન ફોર્સ’ (PMF) એ કહ્યું છે કે શુક્રવારે (19 એપ્રિલ) રાત્રે તેના કાલસો મિલિટરી બેઝની કમાન્ડ પોસ્ટ પર જોરદાર વિસ્ફોટ થયો હતો. કાલસો મિલિટરી બેઝ બગદાદથી 50 કિલોમીટર દૂર છે. સુરક્ષા સૂત્રોએ જણાવ્યું છે કે બ્લાસ્ટ પાછળનું કારણ એરસ્ટ્રાઈક છે. આ હુમલામાં એક PMF ફાઇટરનું મોત થયું છે, જ્યારે છ સૈનિકો ઘાયલ થયા છે, જેમને હિલા શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.