Ambaji Temple Prasad: અંબાજી પ્રસાદ વિવાદને લઈ એક કિસ્સાથી વાતની શરૂઆત કરીએ તો વડોદરાના એક દર્શનાર્થીએ જણાવ્યું કે, હું જ્યારે અહીં મોહનથાળનો પ્રસાદ મળતો હતો ત્યારે 10 જેટલા બોક્સ લઈને જતો હતો, ચીકીના પ્રસાદની ના નથી પરંતુ મોહનથાળનો પરંપરાગત પ્રસાદ ચાલુ રાખવો જોઈએ. અહીંથી જે મોહનથાળનો પ્રસાદ મળતો હતો તેનું બોક્સ ખોલતાની સાથે જ ખ્યાલ આવી જતો હતો કે તે અંબાજીનો છે.
અંબાજી મંદિર, માધુપુરા, અમદાવાદ ખાતે દર્શન કરી માતાજીને પવિત્ર મોહનથાળનો પ્રસાદ ચઢાવી, પવિત્રધામ અંબાજી મંદિર ખાતે આસ્થા રૂપે અપાતો મોહનથાળનો પ્રસાદ ફરી ચાલુ થાય તે માટે કોંગ્રેસના આગેવાનશ્રીઓ સાથે પ્રાર્થના કરશે.#Ambaji #Jagdishthakor @INCGujarat pic.twitter.com/XNPeO241ri
— Jagdish Thakor (@jagdishthakormp) March 12, 2023
ત્યારે હવે આખા ગુજરાતમાં આ વિવાદ ફેલાઈ ચૂક્યો છે અને આ મામલે એક નવું જ ફરમાન સામે આવ્યું છે. અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદના વિવાદમાં હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવ્યું છે.
વિગતો મળી રહી છે કે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે અંબાજી (ambaji temple) માં મોહનથાળના બદલે ચીકીનો પ્રસાદ આપવામાં આવી રહ્યો હોવાની વાત પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાની માંગ સાથે આકરા શબ્દોમાં ટીકા કરી છે.
તેમણે પ્રસાદ તો ચાલુ કરાવીને જ રહીશું તેવા સૂરમાં પોતાની વાત ભારપૂર્વક મૂકી હતી. જગદીશ ઠાકોરે (Jagdish Thakor) કહ્યું છે કે, “અંબાજીના સ્થાનિકોને રોજીરોટી મળતી હતી, આ મંદિરના સ્થાપક દાતા દરબારે કહ્યું છે અમારા પૂર્વજો મોહનથાળથી આ પ્રસાદની શરુઆત કરી હતી.” જે પરંપરાઓ છે, જે શ્રદ્ધાઓ સાથે જોડાયેલો મહાપ્રસાદ છે તેને શા માટે બદલવામાં આવે છે?
આગળ વાત કરતાં ઠાકેરે કહ્યું કે આ તો એવું છે કે મોહનથાળ બદલીને ત્યાં ચીકી ચાલુ.. કાલે મહુડીમાં સુખડી બદલીને ગોળ-ધાણા ચાલુ કરાશે!” જગદીશ ઠાકોરે આકરા શબ્દોમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવા સામે નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે પરંપરાને ફરી શરુ કરાવવાની નેમ લઈને કહ્યું કે અમે આ નહીં ચાલવા દઈએ.