દિલ્હી હાઈકોર્ટે સ્લિપ ભર્યા વિના અને ઓળખના પુરાવા વિના રૂ. 2,000ની નોટો બદલવાની સૂચનાને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. ચીફ જસ્ટિસ સતીશ કુમાર શર્મા અને જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદની બેન્ચે આ અરજી ફગાવી દીધી હતી. અરજીમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની સ્લિપ વગર અને ઓળખના પુરાવા વગર રૂ. 2,000ની નોટો બદલવાની સૂચનાને પડકારવામાં આવ્યો હતો.
RBI નોટિફિકેશનનો બચાવ કરે છે
પિટિશનર અને એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આ નોટોનો મોટો જથ્થો કાં તો વ્યક્તિની તિજોરીમાં પહોંચ્યો છે અથવા તો ‘અલગતાવાદીઓ, આતંકવાદીઓ, માઓવાદીઓ, ડ્રગ સ્મગલરો, ખાણ માફિયાઓ અને ભ્રષ્ટ લોકો’ પાસે છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ નોટિફિકેશન મનસ્વી, અતાર્કિક અને બંધારણની કલમ-14નું ઉલ્લંઘન કરે છે. આરબીઆઈએ હાઈકોર્ટ સમક્ષ તેના નોટિફિકેશનનો બચાવ કરતા કહ્યું કે તે નોટબંધી નથી પરંતુ વૈધાનિક કાર્યવાહી છે.
ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાના કારણે ચારેકોર તબાહી, ક્યાંક અંધાર પટ તો ક્યાંક તૈયાર પાક પતી ગયો
હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં રિઝર્વ બેંક અને સ્ટેટ બેંકને 2000ની નોટો માત્ર સંબંધિત બેંક ખાતામાં જ જમા થાય તે સુનિશ્ચિત કરવા આદેશ કરવાની માંગ કરવામાં આવી હતી. તેની મદદથી કાળું નાણું અને અપ્રમાણસર સંપત્તિ ધરાવતા લોકોની ઓળખ કરી શકાશે. ગત 23 મેથી બેંકોમાં 2000 રૂપિયાની નોટ બદલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પહેલા 19 મેના રોજ રિઝર્વ બેંકે 2000ની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે તમે 30 સપ્ટેમ્બર સુધી બેંકમાંથી 2000 રૂપિયાની નોટ બદલી શકો છો.