જેલમાંથી છૂટીને દેવાયત ખવડે સીધો જ એવો ડાયલોગ માર્યો કે દુશ્મનો જોતા રહી જશે, સમય આવવાની વાત કરીને કહ્યું-….

Lok Patrika
By Lok Patrika
Share this Article

રાણો રાણીની રીતે અને મરદની વાતો કરનાર દેવાયત ખવડ આખરે 72 દિવસ બાદ જેલમાંથ બહાર આવ્યો છે. મયુરસિંહ રાણા પર હુમલો કરવાના કેસમાં દેવાયત ખવડ રાજકોટની મધ્યસ્થ જેલમાં છેલ્લા 72 દિવસથી બંધ હતો. 5 વખત અરજી બાદ આખરે હાઇકોર્ટ દ્વારા રાજકોટમાં છ મહિના સુધી પ્રવેશ ન કરવાની શરતે જામીન આપવામાં આવ્યા છે.

હવે માહિતી મળી રહી છે કે જેલમાંથી બહાર આવ્યા બાદ સૌપ્રથમ ખવડે જેલના પંટાગણમાં આવેલા માતાજીના મંદિરે શીશ ઝૂકાવ્યું હતું. દેવાયત ખવડ જેલમાંથી બહાર આવતા મીડિયા સાથેની વાતચીત કરતા તેને સૌપ્રથમ પોતાના અઢારે વર્ણના ચાહક વર્ગ તેમજ માતાજીનો આભાર માન્યો. ત્યારબાદ અમૃત ઘાયલની રચનાથી તેને મીડિયા સાથે પોતાની વાતચીત શરૂ કરી હતી.

ખવડે અમૃત ઘાયલની રચના કહી કે ‘જેમની સંસારમાં વસમી સફર હોતી નથી, તેમને શું છે જિંદગી તેની ખબર હોતી નથી’ આ સાથે જ તેણે પોતાના પર લાગેલા આક્ષેપ મામલે જણાવ્યુ હતુ કે, ‘આગામી સમયમાં હું કેટલાક ખુલાસા કરીશ તેમજ સમય આવશે ત્યારે બધાને જવાબ આપીશ.’ ત્યારે આગામી સમયમાં દેવાયત ખવડ દ્વારા કયા પ્રકારના ખુલાસાઓ કરવામાં આવે છે તે હવે જોવાનું રહ્યું.

રાણો રાણાની રીતે’ ડોયલૉગ્સ બધા જ કાર્યક્રમમાં બોલનાર દેવાયત ખવડ જેલમાંથી બહાર આવી ગયો છે, પરંતું અત્રે મોટી વાત એ છે કે, તે અત્યાર સુધી 72 રાત જેલમાં વિતાવી ચૂક્યો છે તેમજ પાંચ વખત જામીન માટે હવાતિયા પણ મારી ચૂક્યો છે. મયૂરસિંહ રાણા પર હુમલા કેસમાં સંડોવાયેલ લોકસાહિત્યકાર દેવાયત ખવડ જેલમાં છે એ વાતની બધાને ખબર છે અને જામીન માટેના હવાતિયા મારી રહ્યો છે એની પણ સૌને જાણ છે. ખવડ સેશન્સ કોર્ટથી લઈ હાઈકોર્ટના દ્વાર સુધી બધે જ જામીન માટે કાયદેસર વલખા મારી રહ્યો હતો.

ગુજરાતના આ ગામનું તો નામ જ છે વેલેન્ટાઈન ડે, 3 પેઢીથી અહીં 90 ટકા લોકો કરી રહ્યા છે પ્રેમલગ્ન

જો તો ખરી કેવા દિવસો આવ્યા, રાત્રે એક વાગ્યે આ અબજોપતિ સાફ સફાઈ કરતો જોવા મળ્યો, ખૂદ જણાવી મજબૂરી

Breking News: મંદીના એંધાણ અને ઉપરથી મોંઘવારી પથારી ફેરવશે, તેલના ડબ્બામાં અધધ રૂપિયાનો સીધો વધારો ઝીંકાયો, જાણો નવા ભાવ

આજના દિવસ સુધીની વાત કરીએ તો અત્યાર સુધી 72 રાત જેલમાં વિતાવી છે, એટલું જ નહીં સેશન્સ કોર્ટથી લઈ હાઈકોર્ટ સુધી કુલ પાંચ વખત જામીન માટે વલખા માર્યા હતા. 5 વખત ખવડની જામીન અરજીઓ રદ થઈ છે અને હજુ પણ મળે કે કેમ એમા શંકા હતા. જો કે હવે તેને જામીન મળી ગયા છે. ખવડ સહિત બે સહ તહોમતદર સામેથી ધરપકડ કરવામાં આવી હતી.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly