Gujarat News: ગુજરાતના ખેડૂતો નિશ્ચિત થઈ જાય કારણ કે હવામાન વિભાગ ખેડૂતો રાજી-રાજી થઈ જાય તેવી વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા નહિવત છે.
અમદાવાદ હવાનામ વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વાતાવરણના ઉપરી લેવલ પર વાદળો છવાયા હોવાથી વાદળછાયું વાતાવરણ રહેવાની શકયતા છે.
હાલ વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્ન્સ પણ સર્જાયું છે જેના કારણે પણ વાદળો છવાયેલા રહેવાની સંભાવના છે. તો આજના તાપમાનની વાત કરીએ તો નલિયામાં તાપમાન 10.8 ડિગ્રી નોંધવામાં આવ્યું છે, જ્યાં અમદાવાદમાં તાપમાન 18 ડિગ્રી નોંધાયું છે.
તમને જણાવી દઈએ કે. રાજ્યમાં આગામી 48 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા છે. તો ખેડૂતોને શિયાળું પાક માટે ચિંતા કરવાની જરૂર નથી.