શક્તિપીઠ અંબાજીમાં ચાર માર્ચથી મોહનથાળ બંધ કરી ચીકી આપવાની શરૂઆત થતા જ વિવાદે જન્મ લીધો હતો. ત્યારે હવે અંબાજી પ્રસાદ વિવાદ અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અંબાજીમાં મોહનથાળના પ્રસાદ વિવાદ અંગે ગાંધીનગરમાં એક મહત્ત્વની બેઠક કરવામાં આવી હતી. આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક બોલાવી હતી. જેમાં અંબાજીના પ્રસાદ અંગે મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. બેઠક બાદ સરકારે ચીકીને પ્રસાદમાં ઘૂસાડી દીધી છે. ભક્તોને પ્રસાદમાં પ્રિય મોહનથાળ છે. છતાં સરકારે બંનેને પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં મોહનથાળની ક્વોલિટી સુધારવામાં આવશે તેવું બેઠક બાદ નક્કી કરાયું છે.
શક્તિપીઠ અંબાજીમાં પ્રસાદીમાં અપાતા મોહનથાળને બંધ કરાતા ભક્તોમાં ભારે રોષ છવાયો છે. જેના કારણે ગુજરાત સરકારે પણ દખલગીરી કરવાની ફરજ પડી છે. અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરીથી શરૂ કરવાના નિર્ણયને પગલે ભક્તોમાં ખુશીની લહેર જોવા મળી છે. ભટ્ટજી મહારાજની સરકાર સાથેની બેઠકમાં આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઋષિકેશ પટેલના કાર્યાલયમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હોદ્દેદારો સહિત મંદિરના પૂજારીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક બાદ સરકારે જાહેરાત કરી છે કે મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરાશે. આ સાથે ચિક્કીનો પ્રસાદ પણ ચાલું રહેશે.
મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો આ પહેલા આજે વીએચપીના આગેવાનો અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના હોદ્દેદારો સાથે કાર્યક્રમમાં એક મુલાકાત થઈ હતી. કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ વીએચપીને આંદોલન ન કરવા ની વાત કરી હતી. જેના કારણે વિએચપી સહિતનાં હિન્દુ સંગઠનો સરકારની સામે આવી ગયાં હોવાનું સામે આવ્યું હતું. વીએચપીના ક્ષેત્રીય મંત્રી અશોક રાવલે જણાવ્યું હતું કે, પ્રસાદ મુદ્દે સરકાર પાસે કોઈ સ્પષ્ટતા જ નથી. તેમના જવાબદાર મંત્રી જાહેરમાં આવીને બેફામ નિવેદનો કરે છે કે, મોહનથાળ તો કોઈ સંજોગોમાં ફરી શરૂ થશે નહીં. આ નિવેદન બિલકુલ અયોગ્ય છે.
રતન ટાટા માટે ખૂબ જ ખાસ છે આ વ્યક્તિ, રોજ કમાય છે 30 લાખ રૂપિયા, જાણો સંપત્તિ અને કુલ આવક વિશે
અશોક રાવલે આગળ વાત કરી હતી કે ગૃહમંત્રીએ આંદોલન અટકાવવાની વાત કરી છે, પણ વીએચપીને સરકાર અથવા તેમના એકેય મંત્રી ઉપર ભરોસો નથી તેમ સ્પષ્ટ જણાવી દીધું હતું. વીએચપીના ક્ષેત્રીય મંત્રી અશોક રાવલે વળતો જવાબ આપતાં ગૃહમંત્રી સંઘવીને કહ્યું હતું કે તમે જૈન છો તો પહેલાં મહુડીનો પારંપરિક સુખડીનો પ્રસાદ બદલો. તેમણે પ્રસાદ મુદ્દે આંદોલન ચાલુ જ રહેશે તેમ સ્પષ્ટ સંભળાવી દીધું હતું. સંઘવીએ બાદમાં કહ્યું હતું કે તેઓ વીએચપી સાથે વાત કર્યા બાદ પ્રતિભાવ આપશે અને હવે બન્ને પ્રસાદ શરૂ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.