દિગ્ગજ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને IPLના ઈતિહાસનો સર્વશ્રેષ્ઠ કેપ્ટન બતાવતા કહ્યું કે તેમના જેવો કેપ્ટન ન કોઈ થયું છે કે ભવિષ્યમાં ના કોઈ થઈ શકશે.
ધોનીએ 12 એપ્રિલના રોજ ચેન્નાઈ અને રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ મેચમાં CSKના કેપ્ટનના રૂપમાં 200 મેચ પુરી કરી જેમાં તે ત્રણ રનથી હારી ગયા હતા. 41 વર્ષીય પૂર્વ ભારતિય કેપ્ટન IPL ઈતિહાસમાં ઉપલબ્ધિ પ્રાપ્ત કરવાવાળા પહેલો ખેલાડી છે. ગાવસ્કરે કહ્યું, CSK ખરાબ પરિસ્થિતિઓમાંથી બહાર કઈ રીતે નીકળવું તે જાણે છે. આ MS ધોનીની કેપ્ટન્સીમાં જ શક્ય થઈ શક્યું છે. 200 મેચમાં કેપ્ટન્સી કરવી બહુ મુશ્કેલ છે. આટલી બધી મેચોમાં કેપ્ટન્સી કરવી એક બોજ છે અને આના પરથી પ્રદર્શન પર પણ અસર પડી શકે છે.
ગાવસ્કરે IPL બ્રોડકાસ્ટરોની એક વાતમાં કહ્યું કે, માહિ અલગ છે. તે એક અલગ કેપ્ટન છે. તેમની જેવો કેપ્ટન ન કોઈ થયું છે કે ભવિષ્યમાં ના કોઈ થઈ શકશે. ધોની IPLની શરૂઆતથી CSKનો હિસ્સો રહ્યા છે. બે વર્ષ છોડીને ટીમને તેમના અધિકારીઓની અવૈધ ગતિવિધિઓમાં સામેલ થવા પર પ્રતિબંધ કરવામાં આવી હતી. તેમને 2016ની સીઝનમાં 14 મેચોમાં રાઈઝીંગ પૂણે સુપરજાયન્ટ્સનું નેતૃત્વ કર્યુ હતું જેમાં તે કેપ્ટનના રૂપમાં તેમની કુલ 214 થઈ ગઈ હતી. ધોનીની ટીમ CSKએ ચાર વાર IPLનો ખિતાબ જીત્યો છે. CSKના કેપ્ટનના રૂપમાં તેમનો રેકોર્ડ 120 જીત અને 79 હારનો છે.
સોનાના દાગીના ખરીદનારાઓ માટે મોટા સમાચાર, સોનું 65,000 અને ચાંદી 80,000 રૂપિયે મળતું થઈ જશે!
ગાવસ્કરે તેમની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને આ સત્રમાં અત્યારસુધીની મેચોમાં ખૂબ સારી શરૂઆત કરવા માટે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના પણ વખાણ કર્યા હતા. તેમને કહ્યું, વિરાટ કોહલી RCBની તમામ મેચોની શરૂઆતમાં સારી શરૂઆત આપી રહ્યો છે. અને RCBને જે શરૂઆત મળી રહી છે. અને ટીમ પોતાની શરૂઆતના કારણે બોર્ડ પર જે રન બની રહ્યા છે, તેના કારણે તે બહુ બધી પ્રશંસાના હક્કદાર છે. આ RCB માટે સારા સંકેત છે.