જો ગુજરાતનો ઈતિહાસ જોઈએ તો અત્યારસુધીમાં 12 પેપર ફૂટી ગયા છે. સરકાર પણ પેપર ફૂટી જવાની ઘટનાથી પરેશાન છે. પંચાયત વિભાગની પરીક્ષાઓની અંદર પેપર લીકની ઘટનાઓ બની છે, આ ઘટનાઓ બનતી રોકવા માટે હસમુખ પટેલને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ત્યારે હવે એક એવી પરીક્ષા અંગે ખુલાસો થયો છે કે જેની લોકો ક્યારના રાહ જોઈ રહ્યા હતા. હા, હવે તલાટીની પરીક્ષાઓ ક્યારે યોજાશે તે અંગે આઈપીએસ હસમુખ પટેલે મોટી વાત કરી હતી. હસમુખ પટેલે આજે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, જુનિયર ક્લાર્ક જ નહીં પણ તલાટીની પરીક્ષાઓ પણ હવે જલ્દી લેવાનો પ્રયત્ન કરવામાં આવશે.
વધારે વિગતે વાત કરતાં હસમુખ પટેલે જણાવ્યું કે એપ્રિલ મહિનામાં જુનિયર ક્લાર્કની પરીક્ષા લીધા બાદ તલાટીની પરીક્ષા લેવા પર પુરુ ફોકસ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા બજેટ સત્રમાં પેપર લીક સંદર્ભમાં નવો બની રહેલા કાયદામાં પણ રાજ્ય સરકાર દ્વારા આઇપીએસ અધિકારી હસમુખ પટેલના અનુભવનો લાભ લીધો. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા થોડા જ દિવસોમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે એવી માહિતી સામે આવી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓને આ વખતે એવી આશા છે કે પેપર લીક ન થાય અને લાખો લોકોના ભવિષ્ય પર પ્રશ્ન ઉભો ન થાય.
આમ આદમીની મોંઘીદાટ ઓફર, AAPએ BJPના નેતાને ખરીદીને પોસ્ટ આપવા માટે કરી પુરા 1 કરોડની ઓફર!
હાલમાં જ પેપર લીક થયા બાદ જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થઈ હતી. જેના બાદ હજારો વિદ્યાર્થીઓના આક્રોશ ફાટી નીકળ્યો હતો. ત્યારે હવે હસમુખ પટેલે વાત કરી કે બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષા બાદ જુનિયર ક્લાર્કની પરીક્ષા લઈ લેવાશે. પંચાયત સેવા પસંદગી મંડળ અને સરકારની પ્રાથમિકતા તમામ પરીક્ષાઓ સારી રીતે યોજાય તેવી છે. કમનસિબે પેપર લીક થયું, પરંતું ભવિષ્યમા આવુ ન બને તેવા પ્રયત્નો કરવામાં આવશે. હું, વિકાસ સહાય સર તથા દિનેશ દાસા સતત પ્રયત્ન કરી રહ્યા છે. વહેલામાં વહેલી અને સ્વચ્છ રીતે પરીક્ષા લેવા માંગીએ છીએ. પોલીસ પણ અમારી સાથે જોડાય છે અને પેપર લીક ન થાય એવા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવશે