એલા પણ… આ ટાઢમાં હાડકાં અને સાંધાના દુખાવો થશે સામાન્ય, પણ આ ખાવાનું રાખો તો દુખાવો ગાયબ

Desk Editor
By Desk Editor
Share this Article

Health News: શિયાળાની ઋતુ આવે એટલે આળસ આવવાનું શરુ થઈ જાય છે. ઠંડી પડે એટલે શરીર જકડાઈ જાય છે અને જેને સાંધાના દુખાવાની સમસ્યા થતા લોકોને પણ દુખાવો વધી જાય છે. તમને જણાવી દઈએ કે શિયાળામાં આવતી રામબાણ સમાન લીલી ડુંગળી આરોગવાથી હાડકાં અને સાંધાના દુખાવો દૂર થાય છે.

શિયાળામાં લીલી ડુંગળી ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. લીલી ડુંગળીને શિયાળાની ઋતુમાં ફાયદાકારક માનવામાં આવે છે. લીલી ડુંગળીમાં વિટામિન સી, એન્ટીઓક્સીડેન્ટ્સ, ફાઈબર અને ઘણા મિનરલ્સ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આ બધા રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓથી બચાવે છે. સાંધાનો દુખાવો અને સોજો ઘટાડવામાં પણ મદદ કરે છે.

તો આવો, જાણીએ લીલી ડુંગળી ખાવાના ફાયદા…

હાડકા માટે રામબાણ: શિયાળાની ઋતુ નજીક આવતા જ ઘણા લોકોને હાડકાં અને સાંધાઓમાં દુખાવાની સમસ્યા થવા લાગે છે. ઠંડી અને ભેજને કારણે સાંધામાં સોજો આવી જાય છે, જેના કારણે દુખાવો અને જકડાઈ જાય છે. આવી સ્થિતિમાં લીલી ડુંગળી ખાવી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

લીલી ડુંગળીમાં રહેલા વિટામિન સી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઓમેગા 3 ફેટી એસિડ વગેરે પોષક તત્ત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. આ બધા પેઈન કિલર તરીકે કામ કરે છે. આ સિવાય લીલી ડુંગળીમાં બળતરા વિરોધી ગુણ પણ હોય છે જે સોજો અને દુખાવો ઓછો કરવામાં મદદરૂપ થાય છે.

પાચનતંત્ર સ્વસ્થ રાખે છે: લીલી ડુંગળીમાં વધુ માત્રામાં પાણી અને ફાઈબર હોય છે, જે પાચન તંત્ર માટે ખૂબ જ ફાયદાકારક છે. ડુંગળી પાચનને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે અને પેટ સંબંધિત સમસ્યાઓથી બચાવે છે.

હૃદય માટે ફાયદાકારક: લીલી ડુંગળીમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે. એન્ટિઓક્સિડન્ટ્સ શરીરમાં હાજર હાનિકારક ફ્રી રેડિકલનો નાશ કરે છે, જે ઘણી બીમારીઓનું કારણ બને છે.

શરદી અને ઉધરસને રાખે દૂર: લીલી ડુંગળીમાં વિટામિન સી, એન્ટીઓક્સીડેન્ટ અને ફાયટોકેમિકલ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે શરદી અને ઉધરસ સામે લડવામાં મદદ કરે છે. વિટામિન સી શરીરને ચેપ અને વાયરસ સામે લડવામાં સક્ષમ બનાવે છે. એન્ટિઓક્સિડન્ટ્સ ફ્રી રેડિકલ અને ફાયટોકેમિકલ્સથી થતા નુકસાનને અટકાવે છે અને વાયરસ અને બેક્ટેરિયાને મારી નાખે છે.

ગુજરાતમાં ઠંડીનો પારો ઉંચકાયો, શહેરમાં ઠંડીના કારણે ધુમ્મસ ભર્યો માહોલ, નવસારી, સુરત, બોટાદમાં ધુમ્મસની ચાદર છવાઈ

આસામમાં વહેલી સવારે બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, 13 લોકોના મૃત્યુ, 30થી વધુ ઘાયલોની સારવાર ચાલુ

ચૂંટણી પહેલા જ EDની નોટિસ શા માટે? દિલ્હી દારૂ કાંડ મામલે અરવિંદ કેજરીવાલ આજે પણ ED સમક્ષ નહીં થશે હાજર

તો, તમે આજથી આ ખોરાકને તમારા ખોરાકમાં સામેલ કરો અને તમારા હાડકાં અને સાંધાના દુખાવાને ભગાડો. જો તમને અન્ય કોઈ હેલ્થને લગતા કે કોઈ અન્ય પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો.

 


Share this Article