2000ની નોટોનું ચલણ બંધ થયા બાદ ભારતીય રિઝર્વ બેંક તરફથી નવો ઓર્ડર આવ્યો છે. 2000ની નોટ બદલવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પ્રિન્ટિંગ પ્રેસને અઠવાડિયાના 7 દિવસ દિવસના 24 કલાક કામ કરવા માટે કહ્યું છે. તમને જણાવી દઈએ કે, 23 મેથી 2000ની નોટ બદલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, આવી સ્થિતિમાં લોકો મોટી માત્રામાં 2000 લઈને બેંકોમાં પહોંચી રહ્યા છે.
અડધો દિવસ પણ પૂરો થયો નથી કે બેંકોમાં 500ની નોટોની અછત સર્જાઈ છે. હવે તેને સપ્લાય કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પ્રિન્ટિંગ પ્રેસને 24 કલાક નોટો છાપવા માટે કહ્યું છે.
જ્યારથી 2000ની નોટોનું ચલણ બંધ થયું છે ત્યારથી દરેક જગ્યાએ અરાજકતાનો માહોલ છે. નોટ બદલવાના કારણે બેંકોમાં રોકડની અછત જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં ભારતીય રિઝર્વ બેંકે ચારેય નોટો છાપનાર પ્રિન્ટિંગ પ્રેસને નોટોનો પુરવઠો પૂરો કરવા માટે દિવસ-રાત કામ કરવા જણાવ્યું છે. જેથી લોકોને પુરતી 500ની નોટ મળી શકે. આ સમયે બજારમાં લગભગ 24 હજાર કરોડ એટલે કે 3 લાખ કરોડ 2000ની નોટો છે. જેને ચલણમાંથી બહાર કાઢવામાં આવી છે.
આ પણ વાંચો
ગરમીથી મોટી રાહત: હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં પડશે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
આરબીઆઈના જણાવ્યા અનુસાર, અત્યારે પણ પ્રિન્ટિંગ પ્રેસ પોતાનું શ્રેષ્ઠ આપીને જ કામ કરી રહી છે. પરંતુ આવનારા સમયમાં 2000ની નોટ એક્સચેન્જ માટે પ્રિન્ટિંગ પ્રેસે તેની ઝડપ 40% વધારવી પડશે. જેથી આગામી 5 મહિનામાં 2000ની નોટ બદલવાનો લક્ષ્યાંક પૂરો કરી શકાય. તમને જણાવી દઈએ કે, વર્ષ 2018થી 2000ની નોટોનું પ્રિન્ટિંગ બંધ થઈ ગયું છે. હાલમાં રિઝર્વ બેંકનું ધ્યાન માત્ર 500ની નોટ છાપવા પર કેન્દ્રિત છે.