યુવાન એટલે કોણ ? કોને યુવાન કેહવો ? શું યુવાનની ઉંમર થી નક્કી થાય છે ?

Lok Patrika
By Lok Patrika
Share this Article

શીર્ષક : યુવાન
પ્રકાર : લેખ

નામ :હાર્દિક ગાળિયા
ગામ : સુરત


આપણે સૌ જાણીએ છીએ યુવાન એટલે શું. આપણે સૌ જાણીએ છીએ કે યુવાનની એટલે શું. પરંતુ શું આપણે એ જાણીએ છીએ કે યુવાન એટલે કોણ ? હા મિત્રો સાચું વાંચ્યું યુવાન એટલે કોણ ? કોને યુવાન કેહવો ? શું યુવાનની ઉંમર થી નક્કી થાય છે ?
ના,યુવાન એટલે બોલેલુ, ધારેલુ કરવાની શક્તિ જેનામાં છે તે એટલે યુવાન, પણ આજના યુવાનમાં એવુ કઇ જ નથી. આજનો યુવાન ખલાસ થઇ ગયો છે. આજના યુવાન પાસે કોઇ લક્ષ્ય નથી. આજનો યુવાન તો લારી ને ગલ્લા પર જ દેખાય છે. આજના યુવાનને એ નથી પડી કે એની આજુબાજુ શું થાય છે, એ એની મસ્તીમાં જ રમતો રહ્યો છે. આજના યુવાનને કદાચ એ પણ ના ખબર હશે કે યુવાન શુ છે. હા,એટલી ખબર હશે કે અમુક ઉંમરમાં માણસ યુવાનીમાં પ્રવેશ કરે છે
યુવાન એવો હોવો જોઈએ કે એ કે કાઇ પણ કરે તો તેની પ્રતિષ્ઠા વધે. પછી ના કે કોઇ પણ શરત રમે અને કરે. તે તો એક દેખાવ થઇ જાય. એમ પણ આજના યુગમાં યુવાન તો દેખા-દેખીમાં જ તો જીવે છે. આની પાસે આવુ છે મારી પાસે કેમ નથી. યુવાન પાસે કોઇ લક્ષ્ય નથી. અને લક્ષ્ય પણ એવા હોય છે કે જે આજે આ તો કાલે બીજુ. આજનો યુવાન ક્રિકેટ બોલ જેવો થઇ ગયો છે જે બધાના હાથમાં ફરતો જ રહ્યો છે. કોઇ પણ એનો ઉપયોગ કરે પછી નાખી દેવામાં આવે છે. આજના યુવાનમાંથી યુવાની નીકળી ગઇ છે. યુવાન રોજને રોજ લાચાર બનતો જાય છે. આજના યુવાન પાસે આત્મવિશ્વાસ નથી. આજ નાં યુવાન ની ઓળખાણ માત્ર insta ની id અને facebook ની storie. સવાર થિ ઉઠી ને બ્રશ કરવાનું અને 1.5 gb પુર્ણ કરવાનું.

  યુવાની એવી જેમાં યુવાને પોતાના જીવનનુ ઘડતર કરવાનુ હોય છે. ગણા એવુ કહે છે કે યુવાનીમાં તો જલસા હોય પણ જે કાર્યો યુવાનીમાં કરી નાખ્યા હોય તે આપણે વૃદ્ધ થયા પછી કરવાના નથી. યુવાનીમાં જ આપણે આપણી છબી એવી શ્રેષ્ઠ બનાવી દેવાની કે જેથી પાછળ જતા પસ્તાવો ના થાય. યુવાન તરીકે આપણા ફેમિલી, સમાજ, દેશ માટે એવા કાર્યો કરવા કે જે આપણા જીવનો વિકાસ કરે છે. જેથી કરીને આવનાર ભવિષ્યમાં બધા આપણને આદર્શ બનાવે
   જીવનમાં એક વાત યાદ રાખવી કે આપણુ કરેલુ આપણને જ પાછણ જતા કામ આવે છે. આપણે પણ આગલા જન્મમાં સારા કામો કર્યા હશે જેથી આપણને માનવ તરીકે જન્મ મળ્યો તો આપણે આ જીવનને સમજવું જોઇએ. અને દરેક કાર્યની નોંધ ભગવાન લે છે. જેથી જીવનમાં સારા જ કાર્યો કરવા કોશીશ કરવી જોઇએ.
  જીવનમાં દરેક કાર્ય કરતા ઉતાર-ચઠાવ તો આવવાના જ તો એમાં નાશી-પાસ ના થતા આપણી સાથે ભગવાન છે એમ સમજીને સારા કાર્ય કરવા જોઇએ. આપણા સારા કાર્યની નોઘ સમાજમાં કોઇ ના લે તો કઇ નહી પણ ભગવાન તો લે છે એ વાત ધ્યાન રાખવી અને જીવન શ્રેષ્ઠ બનાવવુ જોઇએ.


Share this Article
TAGGED:
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly