પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સુરતને ઇન્ટરનેશનલ એકપોર્ટનો દરજ્જો મળ્યો છે. એરલાઈન એર ઈન્ડિયા એક્સપ્રેસે સુરતમાં બનેવા નવા ઈન્ટિગ્રેટેડ ઈન્ટરનેશનલ ટર્મિનલથી ઉડાન ભરી હતી. આ વિમાન સુરત એરપોર્ટ પરથી ઉપડી તેના નિર્ધારિત ગંતવ્ય દુબઈ પહોંચ્યું હતું.
એર ઈન્ડિયા એક્સપ્રેસ સુરત-દુબઈ રૂટ
સત્તાવાર પ્રકાશન દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે ફ્લાઇટ IX 173, રવિવારે સવારે 11:40 વાગ્યે સુરત એરપોર્ટ પરથી ઉપડી હતી, તે બપોરે 1:30 વાગ્યે તેના નિર્ધારિત ગંતવ્ય દુબઈ પહોંચી હતી. વિમાનમાં 171 મહેમાન સવાર હતા. આ બધાને રૂટ પર સીમલેસ ફ્લાઈંગનો અનુભવ મળ્યો છે. સત્તાવાર વિગતો મુજબ એર ઈન્ડિયા એક્સપ્રેસના એમડી આલોક સિંઘ દ્વારા ઐતિહાસિક ક્ષણને ચિહ્નિત કરવામાં આવી હતી, જેમણે એરપોર્ટ પર મુસાફરોમાંથી એકને ફ્લાઈટનો પ્રથમ બોર્ડિંગ પાસ આપ્યો હતો.
એર ઇન્ડિયા એક્સપ્રેસના એમડી શું કહ્યું
આ વિશે બોલતા સિંઘે જણાવ્યું હતું કે, “સુરત એર ઈન્ડિયા એક્સપ્રેસ માટે ખૂબ મહત્વ ધરાવે છે કારણ કે સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટનો વિકાસ થઈ રહ્યો છે અને તેના નવું ટર્મિનલનું અનાવરણ થઈ રહ્યું છે.” વધુમાં, તેમણે જણાવ્યું હતું કે એરલાઇન મુસાફરોને સરળ ઉડ્ડયનનો અનુભવ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને સુરતની વિકાસગાથાને વેગ આપવા માટે યોગદાન આપશે.
શારજાહ-સુરત રૂટ પર એર ઈન્ડિયા એક્સપ્રેસ
24 વર્ષના ભાવનગરના સેનના જવાને કરી આત્મહત્યા, અગમ્ય કારણોસર પોતાના જ ઘરે ગળે ફાંસો ખાધો..
15 ડિસેમ્બર 2024 સુધી આધાર કાર્ડ અપડેટ કરાવો એકદમ ફ્રી, જાણો અપડેટ કરવાની સમગ્ર પ્રક્રિયા
આ દરમિયાન એર ઈન્ડિયા એક્સપ્રેસ સુરતથી ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશન શારજાહ સુધી સીધી ફ્લાઈટ સેવા પણ આપે છે. તે દર અઠવાડિયે પાંચ ફ્લાઇટ્સનું સંચાલન કરે છે, જે મુસાફરોને સરળ ઉડાનનો અનુભવ પ્રદાન કરે છે. એરલાઈન્સે સુરત-દુબઈ રૂટ પર દર અઠવાડિયે ચાર ફ્લાઈટની પણ જાહેરાત કરી હતી. રસ ધરાવતા મુસાફરો હવે સત્તાવાર વેબસાઇટ અથવા કોઈપણ એપ્લિકેશન પરથી એડવાન્સ ટિકિટ બુક કરી શકે છે.