તહેવારો અને મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખીને વડોદરા, સુરત સહિત 9 સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવાયા, જુઓ નવો ટાઇમ ટેબલ
ભારતીય રેલ્વે દ્વારા આગામી તહેવારો અને મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખીને વડોદરા, સુરત, પ્રતાપનગર અને ઇન્દોર રૂટની 9 મહત્વપૂર્ણ સ્પેશિયલ ટ્રેનોના સંચાલનની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલ્વે અને ઉત્તર મધ્ય રેલ્વે દ્વારા લેવાયેલા આ નિર્ણયથી ગુજરાતના વડોદરા અને સુરતથી ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને દિલ્હી તરફ મુસાફરી કરતા હજારો યાત્રીઓને સીધો ફાયદો થશે. રેલ્વે તંત્ર દ્વારા આ ટ્રેનોના નવા દિવસો અને સમયપત્રકની વિગતો જાહેર કરવામાં આવી છે.
કઈ ટ્રેનોના ફેરા લંબાવાયા? (નવું સમયપત્રક)

ઇન્દોર – હઝરત નિઝામુદ્દીન એક્સપ્રેસ:
આ ટ્રેન હવે 4 સપ્ટેમ્બરથી 27 નવેમ્બર સુધી દર શુક્રવાર અને રવિવારે દોડશે.
પરત ફરતી હઝરત નિઝામુદ્દીન – ઇન્દોર એક્સપ્રેસ 5 સપ્ટેમ્બરથી 28 નવેમ્બર સુધી દર શનિવાર અને સોમવારે ચાલશે.
વડોદરા – મઉ સ્પેશિયલ એક્સપ્રેસ:
વડોદરા-મઉ ટ્રેન હવે 3 ઓક્ટોબરથી 28 નવેમ્બર સુધી દર શનિવારે ચાલશે.
સામે મઉ – વડોદરા એક્સપ્રેસ 4 ઓક્ટોબરથી 29 નવેમ્બર સુધી દર રવિવારે દોડશે.

સુરત – છપરા સ્પેશિયલ એક્સપ્રેસ:
સુરતથી ઉપડતી છપરા એક્સપ્રેસ હવે 20 ઓક્ટોબરથી 17 નવેમ્બર સુધી દર મંગળવારે ચાલશે.
છપરા – સુરત એક્સપ્રેસ 21 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી દર બુધવારે સંચાલિત થશે.
પ્રતાપનગર – લાલકુઆં એક્સપ્રેસ:
પ્રતાપનગરથી લાલકુઆં વચ્ચેની ટ્રેન 4 ઓક્ટોબરથી 29 નવેમ્બર સુધી દર રવિવારે દોડશે.
લાલકુઆં – પ્રતાપનગર એક્સપ્રેસ 5 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી દર સોમવારે ચાલશે.
રાણી કમલાપતિ – હઝરત નિઝામુદ્દીન સ્પેશિયલ:
ભોપાલના રાણી કમલાપતિ સ્ટેશનથી હઝરત નિઝામુદ્દીન વચ્ચે 22 કોચ વાળી ખાસ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી છે, જે મથુરા જંકશન પર હોલ્ટ લેશે.
આ તમામ ટ્રેનોમાં એડવાન્સ બુકિંગ આઈઆરસીટીસી (IRCTC) વેબસાઇટ અને રેલ્વે રિઝર્વેશન કાઉન્ટર પરથી શરૂ કરી દેવામાં આવ્યું છે.

