હાર્દિક પંડ્યા આવ્યો અને આ ખેલાડીના કરિયરની વાટ લાગી ગઈ, દૂર દૂર સુધી ક્યાંય ટીમમાં વાપસી થાય એવું નથી લાગતું

Lok Patrika
By Lok Patrika
Share this Article

Indian Cricket Team: ટીમ ઈન્ડિયાનો ડેશિંગ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાના કારણે T20 વર્લ્ડ કપ 2021 બાદ લાંબા સમય સુધી મેદાનની બહાર હતો. પરંતુ તે હવે ટીમનો સૌથી મહત્વનો ખેલાડી બની ગયો છે. T20 વર્લ્ડ કપ 2022 બાદ તે T20 ટીમની કમાન પણ સંભાળી રહ્યો છે. પંડ્યાની શાનદાર રમતના કારણે યુવા ઓલરાઉન્ડર ટીમમાં વાપસી કરી શકતો નથી. આ ખેલાડીને ટી-20 વર્લ્ડ કપ 2021 બાદ પંડ્યાના રિપ્લેસમેન્ટ તરીકે ગણવામાં આવી રહ્યો હતો.

પંડ્યા બન્યો આ ખેલાડીની બરબાદ કરિયરનું કારણ!

T20 વર્લ્ડ કપ 2021 બાદ હાર્દિક પંડ્યાની જગ્યાએ વેંકટેશ અય્યર ટીમ ઈન્ડિયાની પહેલી પસંદ બની ગયો. પરંતુ હવે વેંકટેશ અય્યરને ટીમમાં સ્થાન નથી. વેંકટેશ અય્યરે રોહિત શર્માની કપ્તાની હેઠળ ભારતીય ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું, પરંતુ હાર્દિક પંડ્યા ટીમમાં આવ્યા બાદ તેને એક પણ મેચ રમવાની તક મળી નથી.

પરત ફરતી વખતે આ મોટું નિવેદન આપ્યું હતું

આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતા વેંકટેશ અય્યરે આ સિઝનમાં સારો દેખાવ કર્યો હતો. 14 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 28.86ની એવરેજ અને 145.85ની સ્ટ્રાઇક રેટથી 404 રન બનાવ્યા. અય્યરે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે શા માટે તેને ભારતીય ટીમમાં સ્થાન નથી મળી રહ્યું. વાત કરતાં ઐયરે કહ્યું, ‘હાર્દિક પંડ્યામાં આવડત છે, જો મારે ભારત-11માં સ્થાન બનાવવું હોય તો મારે હાર્દિક જેટલો સારો બનવું પડશે જેની હું અત્યારે નજીક પણ નથી. આ હકીકત છે પણ હું સખત મહેનત કરી રહ્યો છું.

લાંબી દાઢી, લાંબા વાળ અને સાધુનો પોશાક… ગુજરાતના વોન્ટેડ ગુનેગારની 23 વર્ષ બાદ મથુરામાંથી ધરપકડ

જુનાગઢમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી, તારાજીનો નજારો જોઈને ચોંકી જશો, ગામોના ગામો ડૂબ્યા

વ્હેમ કાઢી નાખજો, ટામેટા આખા ભારતમાં મોંઘા નથી, આજે પણ આ શહેરોમાં માત્ર 25 રૂપિયા પ્રતિ કિલો વેચાય રહ્યાં છે!

ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન આવું હતું

વેંકટેશ અય્યરે ભારતીય ટીમ માટે 9 T20 મેચમાં 133 રન બનાવ્યા છે અને 5 વિકેટ લીધી છે. આ સાથે જ તે ટીમ ઈન્ડિયા માટે 2 T20 મેચ પણ રમી ચૂક્યો છે. વેંકટેશ અય્યરને આઈપીએલ 2022 પછી દક્ષિણ આફ્રિકા શ્રેણી અને આયર્લેન્ડ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને પ્લેઈંગ 11માં એક વખત પણ સામેલ કરવામાં આવ્યો ન હતો અને હવે તે ટીમમાં જગ્યા બનાવવામાં અસમર્થ છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly